શાળા, આંગણવાડી અને લોકસંવાદ: કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની કામગીરી નવસારી કલેક્ટર સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ દ્વારા આજે મરોલી પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ, મહુવર ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો હતો. આ મુલાકાતનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોના વિકાસની સ્થિતિની સમીક્ષા કરવી અને ગ્રામલોકોની સમસ્યાઓને સમજવાનો હતો. આજરોજ મરોલી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી તેમજ મોજે - મહુવર, તા.જલાલપોર ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામલોકો સાથે લોકસંવાદ કર્યો. @CMOGuj @revenuegujarat @JayantiRavi @DdoNavsari @InfoNavsariGoG pic.twitter.com/ZIqGZxz32P — Collector & DM Navsari (@CollectorNav) December 18, 2024
Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને...
વિદાય સન્માન સમારોહ: નવી ભૈરવી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સન્માન સમારોહ યોજાયો. શિક્ષક એટલે એક એવી શખ્સિયત, જે પોતાના સંસ્કારોથી સમાજ ઘડવાનું કાર્ય કરે છે. શ્રી અરવિંદભાઈ મંગાભાઈ પટેલ, જેમણે જીવનના ૩૩ વર્ષ અને ૬ મહિના શિક્ષણ ક્ષેત્રે નિમગ્ન રહી ભવિષ્યના નાયકોને ઘડ્યા. આજે જ્યારે તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે તેમની સફર કદી ભુલાય નહીં. બાળપણ અને શિક્ષણ મોજે ચીખલી તાલુકાના ઘેજ ભરડા ગામે એક ખેડૂત કુટુંબમાં જન્મેલા શ્રી અરવિંદભાઈએ ધોરણ ૧ થી ૧૨ સુધીની અભ્યાસયાત્રા ગુજરાતની વિવિધ શાળાઓમાં પૂર્ણ કરી. શિક્ષણ પ્રત્યેની અખંડ તલપ અને માતા-પિતાના સંસ્કારોએ તેમની જીવનયાત્રાને પથદર્શક બનાવી. શિક્ષક તરીકેની શરૂઆત તા. ૨૩-૦૪-૧૯૯૧ ના રોજ મોરબી જિલ્લાના માનસર પ્રાથમિક શાળાથી શિક્ષક તરીકેની સફર શરૂ કરનાર શ્રી અરવિંદભાઈએ પોતાની કર્તવ્યનિષ્ઠા અને શ્રદ્ધાથી ગામમાં નામના મેળવી. શિક્ષણમાં શિસ્ત અને શૌર્યના સમન્વયથી તેમણે શાળાના બાળકોના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભૈરવી શાળામાં યોગદાન તા. ૦૯-૧૧-૨૦૦૬ ના રોજ ભૈરવી પ્રાથમિક શાળામાં જોડાયાં પછી તેમણે શાળ...
Comments
Post a Comment